KhojaPedia is currently in Beta testing. We welcome your feedback at Feedback

Gulamali Haji Ismail (Haji Naji)

From KhojaPedia
Jump to: navigation, search


"Allamah Haji Naji – An Exemplary Life of Faith and Practice" By Hasnain Walji

Gulamali Haji Ismail (Allamah Haji Naji Saheb)

It was in the year 1862 CE that a South Indian scholar by the name of Mulla Qadir Husein first came to Mumbai and established a madrassa, but soon left to go to Karbala. Upon a request by Ayatullah Mazandarani, during a chance visit of Haji Dewji Jamal, he once again came to Mumbai in 1872 CE to re-establish his madrassa.

Thus began early teachings of the school of Ahlul Bait [AS] amongst the Khojas, in the area known as Dongri today. It was not easy to practice the faith in those days, let alone preach. Mulla Qadir Husain had been threatened with his life and ultimately three people had to give their lives as a price for the Khojas accepting the Ja’fri faith. Yet this persistent muballigh, against all odds, carried his mission with persistence and tenacity. Such an illustrious teacher attracted a few brave students and amongst the most active and erudite was a boy called Gulamali. His father’s name was Ismailbhai and his mother’s name was Janbai. Originally from a small place in Gujarat, called Shihor, his father and grandfather had established a thriving business in handloom cloth and leather in Mumbai. It was here in Mumbai that Allah blessed a son to Ismailbhai and Janbai on 28th Safar 1297 (CE 1864), whom the Khoja Community today reveres as the Hilli of Gujarat, popularly known as Haji Naji. It is said that this little boy so adored his teacher Mulla Qadir, that whenever he saw that the teacher was about to go out, he would rush to bring him his shoes. Touched by this act Mulla Qadir once observed: “Today you lift up my shoes, a day will come will people will raise you in honour".

Following a trip for Ziarah with his parents in 1300 AH, the young Gulamali served as Imam e Jumua in Malegaon, Maharashtra for about a year. During that time he accompanied some scholars to visit Mahuva. Upon observing the pitiful religious state of the community there, he decided to make Gujarat his permanent home and thus began the most formative religious period of Khoja History. In addition to his speeches and majalis he began the foundational work of writing Gujarati religious literature with the establishment of Rahe-Najaat a monthly magazine in 1310 AH, which truly serves as Rahe Najat (path to salvation) today over a hundred years later. It is well-known that the impact of this magazine went far beyond Gujarat and was a major influence upon the emerging Khoja Shia Ithna-Asheri Community in Africa, Muscat, Burma and elsewhere where the Khojas had migrated. Gifted with persuasive oratory and a lucid pen, his sermons and words were simple but touched hearts of men. Through the columns of Rahe-Najaat and the hundreds of books he wrote and published in Gujarati, his words have transcended generations as much as oceans.

In addition to towns and villages of Kutch and Kathiawad, his Dua no Majmuo and Gujarati Tafseer of the Quran are still read in Africa, Europe and North America. Just as his Majmuo runs parallel in importance to Mafatihul Jinan, in many Khoja homes, his book Mi’raju Sa'adah (Gujarati translation of the book of Mullah Ahmed Naraqi with the same name) is thought to have had a major impact in the lives of many of our brethren in India and East Africa at the time. Having avidly read the book in my youth, I can very much relate to that. Even today, his books have many readers in the UK, Europe USA, and Canada.

His personal life was truly an illustration of faith and practice. It was in the year 1351 AH that his printing press caught fire in the middle of the night and his life’s work with many manuscripts were destroyed in flames, not to mention the loss of some 50,000 Rupees, a colossal amount in those days. As the neighbours and well-wishers who gathered to console him, he calmly responded through the words of the hadith of the Prophet:

"After every forty days a momin is tested".

To crown his sincerity and erudition, this luminary emerging from the nascent Khoja Shia Ithna-Asheri Community, Allamah Haji Naji, also had unique qualities of leadership, with a clear vision and goal. It would not be an overstatement to record that he was amongst the first and perhaps the foremost contribution to the preservation and promotion of the Shia Ithna-Asheri faith in the Khoja Society in its early days when the community needed it most. As we commemorate his death anniversary this 8th of Zilhajj, it is worth remembering that had it not been for his persistence and tenacity, the vibrant KSI Community, spread around the world, may not be what it is today. That is the debt of gratitude we are obliged to pay back by drawing inspiration from this notable figure in our history and continue his legacy.

For further information on Allamah Haji Naji :

Watch “The Life and Times of Haji Naji”

Read the “Monograph”

Books in Gujarati by Allamah Haji Naji are available from http://www.hajinaji.com

Source:https://www.world-federation.org/news/allamah-haji-naji-%E2%80%93-exemplary-life-faith-and-practice-hasnain-walji

Allamah Haji Naji: Biography in Gujarati

"અલ્લામાહ હાજી નાજી - વિશ્વાસ અને પ્રેક્ટિસનું ઉદાહરણરૂપ જીવન" હસ્નાઇન વાલજી દ્વારા (Translation)

Gulamali Haji Ismail (Allamah Haji Naji Saheb)


મર્હુમ અલ્લામા હાજી ગુલામઅલી હાજી ઈસ્માઈલ (હાજી નાજી સાહેબ)

આપનો જન્મ ૨૮ સફર હિજરી સન ૧૨૭૯ના રોજ મુંબઈમાં થયો હતો. આપના વાલીદે બુઝુર્ગવારનું નામ ઈસ્માઈલભાઈ રહીમભાઈ હતું. આપની વાલિદાનું નામ જેનાબાઈ હતું.

હાજી ગુલામઅલી સાહેબે પોતાનું પ્રાથમિક મઝહબી શિક્ષણ મુલ્લા કાદીરહુસૈન સાહેબ પાસેથી વિનયી રીતે પ્રાપ્ત કર્યુ. હાજી નાજી સાહેબે પોતાને ફક્ત મઝહબી લેખન કાર્ય, તકરીરો, પ્રવચનો, મજલિસો અને મિમ્બર સુધીજ મર્યાદિત રાખ્યા ન હતા. બલકે સામાજિક અને કલ્યાણકારી કાર્યો અને પ્રવૃત્તિઓમાં પણ પોતાની સાબિત કદમી અને અડગતાને જાહેર કરી હતી. સંવત ૧૯૮૩માં ભાવનગર ખાતે પાંચ બાળકો સાથે બોર્ડીંગની સ્થાપના કરી હતી. આપની આ સેવાને જીવંત રાખવા હાજી નાજી મેમોરિયલ ટ્રસ્ટે એક બોર્ડીંગની સ્થાપના કરેલ છે. જે આજે સફળતાની ટોચ ઉપર છે. જેમાં હાલ પચાસ બાળકો લાભ લઈ રહ્યા છે.

હાજી નાજી સાહેબની સાહિત્યિક સેવાઓને અમર રાખવા માટે તેમની વફાતના ૫૦માં વાર્ષિક દિવસે તેમના પૌત્ર હાજી મોહસીનઅલીભાઈ કવસરી ભાવનગર પધારેલ. હાજી નાજી સાહેબની કીતાબોને નવેસરથી છાપીને પ્રસિધ્ધ કરવા માટે જનાબ હાજી મોહસીનભાઈએ હાજી નાજી મેમોરિયલ ટ્રસ્ટને મંજૂરી આપેલ.

હાજી નાજી સાહેબે એવા સમયે દીનની તબલીગની શરૂઆત કરી કે જયારે લોકો અજ્ઞાનતાનાં અંધકારમાં અટવાયેલા, વહેમ, અંધશ્રધ્ધા અને કુરિવાજોની જંજીરોમાં જકડાયેલા હતા. કૌમની નાવ કિનારાથી દૂર સાચી દિશા ચૂકીને મજધારમાં ડોલતી હતી. ત્યારે વિવાદ, વિરોધ, અવરોધ તેમજ અનેક સંકટો, આપત્તિઓ અને મુશ્કેલીઓનો સબ્ર, યકીન, તથા બલંદ ઈમાન થકી દ્રઢતાપૂર્વક સામનો કરીને બાતિલની તોફાની આંધીઓથી બચાવી, હિદાયતનો ચિરાગ હાથમાં લઈ તેની રોશનીમાં આપણી કૌમને રાહે નજાત બતાવ્યો.

‘રાહેનજાત’નાં સ્થાપક અલ્લામા હાજી ગુલામઅલી સાહેબે જે વિવિધ ૩૫૦ કરતા પણ વધુ મઝહબી પુસ્તકો ગુજરાતી ભાષામાં સંપાદન કરી પ્રગટ કર્યા છે. જેની જોડ મળવી મુશ્કિલ છે. ચિંતનશીલ અને તત્વજ્ઞાનથી સભર પુસ્તકો જેવા કે ‘કુરઆને શરીફની તફસીર’, ‘મેઅરાજુસ્સઆદહ’, ‘નહજુલ બલાગાહ’, ‘મજમુઓ’, ‘ઝાદુસ્સાલેહીન’ ઉપરાંત અઈમ્મએ માઅસુમીન અલય્હેમુસ્સલામની સવાનેહે ઉમ્રી, મજલિસો તેમજ દોઆઓની કિતાબો અરબી તેમજ ફારસી કિતાબોમાંથી ચૂંટી ચૂંટીને એ ભાષાઓથી નાવાકીફ ગુજરાતી જનતાને આપ્યા છે.

આપ ૮ ઝિલ્હજ હિજરીસન ૧૩૬૨નાં રોજ ભાવનગરમાં આપનાં ચાહકોને રડતા મૂકી આ ફાની દુનિયાથી કુચ કરી ગયા. આપને ભાવનગરનાં ‘હાજી નાજી આરામબાગ’માં દફન કરવામાં આવેલ છે. અલ્લાહ તઆલા તેમને જવ્વારે અઈમ્મએ માઅસુમીન અલય્હેમુસ્સલામમાં જગ્યા ઈનાયત કરે. આમીન ! હાજી નાજી સાહેબને લગતી વધારે જાણકારી માટે અમારી વેબસાઈટ પરની કિતાબ ‘હકીમુલ મિલ્લત’ વાંચો.

http://www.hajinaji.com/AboutHajiNajiSaheb.aspx

SALEH KIDS - LESSON:229: આપણા આલિમો – અલ્લામા હાજી નાજી સાહેબ

પ્રોફાઇલ

આજે આપણે એક મહાન આલિમે દીન વિષે જાણીશું... કે જેમની મધર ટંગ અરેબિક કે ફારસી નહોતી.. પણ ગુજરાતી હતી...! જી... અલ્લામા હાજી નાજી સાહેબ.... જેઓ ગુજરાતથી જ તઅલ્લુક રાખતા હતા... ગુજરાતી બોલતા, ગુજરાતીમાં વાંચતાં અને લખતા...! અલ્લામા હાજી નાજી સાહેબનો જન્મ ઇ.સ. (ઇંગ્લિશ કેલેન્ડર પ્રમાણે) 1864 માં અને હિજરી સન પ્રમાણે હિજરી સન 1279માં થયો હતો... એટલે કે આજથી લગભગ 150 કરતાં વધારે વર્ષો પહેલા..! આપનો જન્મ મુંબઇમાં થયો હતો....આપના બાપ-દાદા ગુજરાતમાં ભાવનગર પાસે એક શિહોર નામનું ગામ છે ત્યાંનાં રહેવાસી હતા... પણ બિઝનેસ માટે તેઓ મુંબઈ શિફ્ટ થયા હતા..આપનું નામ ગુલામેઅલી હતું..... પણ આપને અલ્લામા હાજી નાજી તરીકે યાદ કરવામાં આવે છે....એ સમયમાં ઇરાકમાં એક મરજઅ હતા... જેમનું નામ હતું આયતુલ્લાહ ઝય્નુલ આબેદીન માઝન્દરાની....તો આયતુલ્લાહ માઝન્દરાનીએ તેમના શાગિર્દોમાંથી (સ્ટુડન્ટ્સમાંથી) એક શાગિર્દ મુલ્લા કાદિરહુસૈન સાહેબને ઇસ્લામની તબ્લીગ માટે મુંબઈ મોકલ્યા હતા...માટે જ્યારે મુલ્લા કાદિરહુસૈન મુંબઈ આવ્યા.. અને મઝહબી તબ્લીગ શરૂ કરી.. ત્યારે અલ્લામા હાજી નાજી સાહેબ મુલ્લા કાદિરહુસૈન સાહેબના સ્ટુડન્ટ્સ બની ગયા..અને આ રીતે શરૂઆતનું મઝહબી ઇલ્મ આપે મુંબઈમાં મુલ્લા કાદિરહુસૈન સાહેબ પાસેથી હાંસિલ કર્યું...

ઉસ્તાદનો આદર

હાજી નાજી સાહેબને ઇલ્મ હાંસિલ કરવાનો ખૂબ જ શોખ હતો...અલ્લામા હાજી નાજી સાહેબ પોતાના ઉસ્તાદની ખૂબ ઈઝ્ઝત કરતા.... ખૂબ રિસ્પેક્ટ આપતા...એટલો બધો રિસ્પેક્ટ આપતા કે તેઓ પોતાના ઉસ્તાદ મુલ્લા કાદિરહુસૈન સાહેબના જૂતાં પણ સીધા કરી આપતા...!ઉસ્તાદને રિસ્પેક્ટ આપવાની સાથે સાથે... સ્ટડી કરવામાં પણ હાજી નાજી સાહેબ ખૂબ જ બ્રિલિયન્ટ હતા....મુલ્લા કાદિરહુસૈન સાહેબ હાજી નાજી સાહેબને કહેતા.... કે આજે તમે મારા જૂતાં સરખા કરો છો... એક સમય એવો આવશે કે લોકો તમારા જૂતાં સરખા કરશે...

તઅલીમ અને તબલીગનો સફર

પછી આપ મુજતહિદ મૌલાના સૈયદ ગુલામહુસૈન (હૈદરાબાદી) પાસેથી અરબી અને ફારસી પણ શીખ્યા... અને વધારે મઝહબી તઅલીમ પણ હાંસિલ કરી....શરૂઆતમાં મહારાષ્ટ્રમાં માલેગાંવ નામની જગ્યાએ આપે એક વર્ષ સુધી ઈમામે જુમ્અહ અને ઈમામે જમાઅત તરીકે ખિદમત આપી...પછી આપે ગુજરાતની મુલાકાત લીધી... અને આપને મહસૂસ થયું કે ગુજરાતમાં મઝહબી ખિદમતની જરૂરત છે.... માટે આપ પરમેનેન્ટ ગુજરાતમાં શિફ્ટ થઈ ગયા..! અને પછી હાજી નાજી સાહેબે ગુજરાતમાં દીનની તબ્લીગ શરૂ કરી.... તકરીરો આપવાની શરૂ કરી.. મજલિસો પડવાની શરૂ કરી...

ન ફકત તકરીરો અને મજલિસો.. પણ આપે ભાવનગરથી ગુજરાતી ભાષામાં જ એક મન્થલી મેગેઝીન પણ શરૂ કર્યું કે જેનું નામ રાહે નજાત હતું....અને એ મેગેઝીનથી પણ આપે દીનનો ખૂબ પ્રચાર કર્યો.... લોકોને ઇલ્મ આપ્યું....હાજીનાજી સાહેબની દીની ખિદમતથી છેક ઈરાન અને ઇરાકના મોટા મોટા આલિમો પણ વાકેફ હતા...આપ જ્યારે ઝિયારત માટે ઇરાક ગયા તો ત્યાંનાં મોટા મોટા આલિમોએ આપને મહેમાન બનાવ્યા હતા..!

ઈરાકના સફર દરમિયાન આયતુલ્લાહ શેખ મોહમ્મદ હસન સાહેબે આપને કહ્યું હતું કે આપ સફર બહુ લાંબો ન કરશો... દીનનો ફેલાવો કરવો અને દીનની તબ્લીગ કરવી વાજિબ છે..! માટે આપ બને એટલા જલ્દી ઈન્ડિયા પાછા ફરીને આપનું દીનનું તબ્લીગનું કામ જારી રાખજો..!આયતુલ્લાહની આ વાતોથી હાજી નાજી સાહેબને ખૂબ મોટીવેશન મળ્યું હતું.....અને સફરથી પાછા ફર્યા પછી... વધારે જોશથી તબ્લીગ કરવાનું શરૂ કર્યુ....એ વખતે કે જ્યારે ટ્રાન્સપોર્ટેશન (વાહન વ્યવહાર) ની ફેસીલીટી પણ નહોતી.. એ સમયે હાજી નાજી સાહેબ નાના નાના ગામોમાં જતાં....નમાઝ પડાવતા... મજલિસો પડતા...લોકોને મસઅલા મસાએલ શીખવતા...ત્યાં સુધી કે મજલીસની ન્યાઝ પણ પોતાના ખર્ચે આપતા..!

પોતાના બિઝનેસ અને કિતાબો લખવાનું કામ

દીનની તબ્લીગની સાથે સાથે આપે પોતાના બાપદાદાનો બિઝનેસ પણ ચાલુ રાખ્યો હતો.. અને તેમાંથી આવતી ઇનકમ પણ આપ દીન માટે ખર્ચી નાખતા...એ ઇનકમમાંથી જ લગભગ ઇ.સ. 1897 (ઇંગ્લિશ વર્ષ) માં જ્યારે આપ ભાવનગરથી અમદાવાદ શિફ્ટ થયા ત્યારે આપે કિતાબો અને મેગેઝીન પ્રિન્ટ કરવા માટે પોતાનું જ એક પ્રિન્ટિંગ યુનિટ શરૂ કર્યું....અને તે પ્રિન્ટિંગ યુનિટમાં સૌથી પહેલા જ આપે ગુજરાતીમાં કુરઆન પ્રિન્ટ કર્યું.. કે જેથી જે લોકો અરબી વાંચી ન શકતા હોય તેઓ પણ કુરઆનની તિલાવત કરી શકે....પછી આપે બધી ખાસ દુઆઓ ભેગી કરીને તેને મજમૂઓ નામ આપીને મજમૂઆની પ્રિન્ટ કરી..

અને પછી આપનું કિતાબો લખવાનું અને પ્રિન્ટ કરવાનું કામ ખૂબ જોશમાં આવી ગયું....!અને પછી બહુ જ ઓછા સમયમાં આપે જુદા જુદા મઝહબી ટૉપિક્સ પર 400 જેટલી કિતાબો લખી / ટ્રાન્સલેટ કરી..!!!આપે ગુજરાતીમાં તફસીર પણ આપી.... આજે ગુજરાતી વાંચી શકતા બિરાદારોના ઘરે ઘરે હાજી નાજી સાહેબની લખેલી તફસીર મૌજૂદ છે..!અને આપે બહુ સારી સારી કિતાબો અરબી / ફારસીમાંથી ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરી..! આપે નહજુલ બલાગાહ પણ ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરી....અને જાણે કે ગુજરાતી ભાષામાં ઇલ્મનો દરિયો વહાવી દીધો..!!!આપની તબ્લીગના નતીજામાં ગામે ગામે લોકોએ મઝહબે અહલેબય્ત અ.સ. કબૂલ કર્યો..!

કાણોદર સુધી પણ આપ તબ્લીગ માટે જતાં....જ્યારે આપને કોઈ મજલિસ પડવા માટે હદિયો આપતા તો પણ આપ ઇન્કાર કરી દેતા..! ઇ. સ. 1932 (ઇંગ્લિશ વર્ષ) માં ખબર નહીં કઈ રીતે... આપના પ્રિન્ટિંગ યુનિટમાં આગ લાગી ગઈ...! અને આપને બહુ મોટું નુકસાન ગયું હતું....પણ પૈસાથી વધારે નુકસાન એ હતું કે આપની લખેલી ઘણી બધી કિતાબો અને આપણા લખાણો કે જે હજી પ્રિન્ટ કરવાના બાકી હતા.. એ પણ તે આગમાં સળગી ગયા હતા..!અરધી રાતનો સમય હતો.. આપના પ્રિન્ટિંગ યુનિટમાં આગ લાગી.. પડોશીઓએ હાજી નાજી સાહેબને સળગતી આગમાંથી બહાર કાઢ્યા.... એ વખતે આપની ઉમ્ર 70 વર્ષની હતી...લોકો આપને દિલાસો આપવા લાગ્યા... ત્યારે આપે એકદમ મુસકુરાતા ચેહરા સાથે રસૂલે ખુદા સ. અ. વ. ની હદીસ બયાન કરી.. કે ..

“દરેક ચાલીસ (40) દિવસ પછી મોઅમિનનું ઇમ્તેહાન લેવામાં આવે છે..!!”

જ્યારે ફાયર બ્રિગેડના લોકો આવ્યા અને પૂછ્યું કે આપના મકાનમાંથી કોઈ કિમતી ચીઝ બચાવીને લાવવી હોય તો કહો..ત્યારે હાજી નાજી સાહેબે કહ્યું.... જો બચાવી શકતા હો તો...મઝહબી કિતાબો અને હિસાબના પેપર્સ બચાવીને લાવો.. કેમ કે એ હિસાબમાં કેટલાક લોકોની અમાનતનો (કોને કેટલા પૈસા આપવાના વગેરેનો) હિસાબ લખેલો છે....અને આ આટલું મોટું નુકસાન ગયા પછી પણ હાજી નાજી સાહેબ હિંમત નહોતા હાર્યા.. પણ એ જ જઝ્બાથી આપે દીનની ખિદમત કરવાનું અને તબ્લીગ કરવાનું કામ ચાલુ રાખ્યું હતું..!

વફાત

અને 8 ઝિલહજ્જ એટલે કે આજના દિવસે હિજરી સન 1362માં આપની વફાત થઈ..આજે આપની વફાતને 80 જેટલા વર્ષ થઈ ગયા પછી પણ આપે આપેલ ઇલ્મનો દરિયો જારી છે....ભાવનગરથી હાજી નાજી ટ્રસ્ટમાંથી હાજી નાજી સાહેબે લખેલી કિતાબો અને બીજી ગુજરાતી કિતાબો પ્રિન્ટ થતી રહે છે....

  • આપ સૌથી ગુઝારિશ છે કે અલ્લમા હાજી નાજી સાહેબ ની રૂહના ઈસાલે સવાબ માટે એક સૂરએ ફાતેહા પડવામાં આવે...

પ્રાપ્તિસ્થાન: ટીમ સાલેહ કિડ્સ / વોટ્સઅપ - 8401451292 / ઇમેઇલ - [email protected]

Date: 30/07/2020